Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીએ ટ્રાઈની સિલ્વર જ્યુબિલી ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીશ્રીએ ટ્રાઈની સિલ્વર જ્યુબિલી ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કકર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી દેવુસિંહ ચૌહાણ અને શ્રી એલ. મુરુગન અને ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને આધુનિક તકનીકમાં આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે IIT સહિત આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા. દેશનું પોતાનું 5G સ્ટાન્ડર્ડ 5Giના રૂપમાં બનાવવામાં આવ્યું છે, તે દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. તે દેશના ગામડાઓમાં 5G ટેક્નોલોજી લાવવામાં મોટી ભૂમિકા ભજવશે,” એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કનેક્ટિવિટી 21મી સદીના ભારતમાં પ્રગતિની ગતિ નક્કી કરશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5G ટેક્નોલોજી દેશના શાસનમાં, જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં પણ સકારાત્મક ફેરફારો લાવવા જઈ રહી છે. આનાથી કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ મળશે. તેનાથી સગવડતા પણ વધશે અને રોજગારીની ઘણી તકો ઊભી થશે. તેમણે ઉમેર્યું હતું કે, 5Gના ઝડપી રોલ-આઉટ માટે સરકાર અને ઉદ્યોગ બંનેના પ્રયાસોની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ટેલિકોમ સેક્ટરને એક ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંક્યું હતું કે કેવી રીતે આત્મનિર્ભરતા અને તંદુરસ્ત સ્પર્ધા સમાજ અને અર્થવ્યવસ્થામાં ગુણાત્મક અસર બનાવે છે. 2G યુગની નિરાશા, હતાશા, ભ્રષ્ટાચાર અને નીતિવિષયક લકવામાંથી બહાર આવીને દેશ ઝડપથી 3G થી 4G અને હવે 5G અને 6G તરફ આગળ વધી ગયો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં ટેલિકોમ ક્ષેત્રમાં પહોંચ, સુધારણા, નિયમન, પ્રતિસાદ અને ક્રાંતિના પંચામૃતસાથે નવી ઊર્જાનો સંચાર થયો હતો. તેમણે આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો શ્રેય TRAIને આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે દેશ સિલોસમાં વિચારવાથી આગળ વધી રહ્યો છે અને સમગ્ર સરકારી અભિગમસાથે આગળ વધી રહ્યો છે. આજે આપણે દેશમાં ટેલીડેન્સિટી અને ઈન્ટરનેટ યુઝર્સની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી ઝડપી વિસ્તરણ કરી રહ્યા છીએ, ટેલિકોમ સહિતના ઘણા ક્ષેત્રોએ તેમાં ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારોમાંના સૌથી ગરીબ લોકો માટે મોબાઇલ સુલભ બનાવવા માટે, દેશમાં જ મોબાઇલ ફોનના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થઈ ગયા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે ભારત દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે 2014 પહેલા ભારતમાં 100 ગ્રામ પંચાયતોને પણ ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી ન હતી. આજે અમે લગભગ 1.75 લાખ ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડી છે. જેના કારણે સેંકડો સરકારી સેવાઓ ગામડાઓમાં પહોંચી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે TRAI જેવા નિયમનકારો માટે પણ સમગ્ર સરકારી અભિગમમહત્વપૂર્ણ છે. આજે નિયમન માત્ર એક ક્ષેત્રની સીમાઓ સુધી મર્યાદિત નથી. ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોને એકબીજા સાથે જોડે છે. તેથી જ આજે દરેક વ્યક્તિ સહયોગી નિયમનની જરૂરિયાત અનુભવી રહી છે. આ માટે જરૂરી છે કે તમામ નિયમનકારો એકસાથે આવે, સામાન્ય પ્લેટફોર્મ વિકસાવે અને વધુ સારા સંકલન માટે ઉકેલો શોધે,”એમ  પ્રધાનમંત્રીએ કહ્યું.

***

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com