Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ રાજ્યોના 15 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 601 કિમીનો વધારો થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના 02 (બે) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે જેનો કુલ ખર્ચ આશરે 24,815 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

પ્રોજેક્ટનું નામ

રૂટની લંબાઈ (કિમીમાં)

ટ્રેકની લંબાઈ (કિમીમાં)

પૂર્ણતા ખર્ચ (કરોડ રૂ. માં)

ગાઝિયાબાદ – સીતાપુર 3જી અને 4થી લાઈન

403

859

14,926

રાજમહેન્દ્રી (નિદાદાવોલુ) – વિશાખાપટ્ટનમ (દુવ્વાડા) 3જી અને 4થી લાઈન

198

458

9,889

કુલ

601

1,317

24,815

વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યુ ઈન્ડિયાના વિઝન મુજબ છે જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે જે તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.

આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજિત કરવામાં આવ્યા છે જેમાં સંકલિત આયોજન અને હિતધારકોની પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, સામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ રાજ્યોના 15 જિલ્લાઓને આવરી લેતા 02 (બે) પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 601 કિમીનો વધારો કરશે.

સૂચિત ક્ષમતા વૃદ્ધિથી દૂધેશ્વરનાથ મંદિર, ગઢમુક્તેશ્વર ગંગા ઘાટ, દરગાહ શાહ વિલાયત જામા મસ્જિદ (અમરોહા), નૈમિષારણ્ય (સીતાપુર), અન્નવરમ, અંતરવેદી, દ્રાક્ષારામમ વગેરે સહિત દેશના અનેક અગ્રણી પ્રવાસી સ્થળો માટે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે.

સૂચિત પ્રોજેક્ટ્સ કોલસો, અનાજ, સિમેન્ટ, પીઓએલ, આયર્ન અને સ્ટીલ, કન્ટેનર, ખાતર, ખાંડ, રાસાયણિક ક્ષાર, ચૂનાના પત્થર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આવશ્યક માર્ગો છે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યો હાંસલ કરવા અને દેશના લોજિસ્ટિક ખર્ચને ઘટાડવામાં મદદ કરશે, જે CO2 ઉત્સર્જન (180.31 કરોડ કિગ્રા) ઘટાડશે જે 7.33 કરોડ વૃક્ષોના વાવેતર સમાન છે.

ગાઝિયાબાદ – સીતાપુર 3જી અને 4થી લાઈન (403 કિમી)

  • ગાઝિયાબાદ – સીતાપુર એ હાલનો ડબલ લાઈન સેક્શન છે જે દિલ્હી-ગુવાહાટી હાઈ ડેન્સિટી નેટવર્ક (એચડીએન 4) નો મુખ્ય ભાગ બનાવે છે.
  • દેશના ઉત્તર અને પૂર્વીય પ્રદેશો વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે આ પ્રોજેક્ટ નિર્ણાયક છે.
  • આ સેક્શનની હાલની લાઇન ક્ષમતાનો ઉપયોગ 168% સુધી છે અને જો પ્રોજેક્ટ હાથ ધરવામાં ન આવે તો તે 207% સુધી પહોંચવાની ધારણા છે.
  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, હાપુડ, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી, શાહજહાંપુર, લખીમપુર ખેરી અને સીતાપુર જિલ્લાઓમાંથી પસાર થાય છે.
  • પ્રોજેક્ટ રૂટ મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો – ગાઝિયાબાદ (મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ), મુરાદાબાદ (પિત્તળના વાસણો અને હસ્તકલા), બરેલી (ફર્નિચર, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ), શાહજહાંપુર (કાર્પેટ અને સિમેન્ટ સંબંધિત ઉદ્યોગો) અને રોઝા (થર્મલ પાવર પ્લાન્ટ) માંથી પસાર થાય છે.
  • સીમલેસ ટ્રાન્સપોર્ટેશન માટે, પ્રોજેક્ટ એલાઈનમેન્ટ હાપુડ, સિમ્ભાઓલી, મુરાદાબાદ, રામપુર, બરેલી, શાહજહાંપુર અને સીતાપુરના ગીચ સ્ટેશનોને બાયપાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે મુજબ, બાયપાસિંગ સેક્શન પર 06 નવા સ્ટેશનો સૂચિત છે.
  • પ્રોજેક્ટ સેક્શનની સાથે/નજીકના મુખ્ય પ્રવાસી/ધાર્મિક સ્થળોમાં દૂધેશ્વરનાથ મંદિર, ગઢમુક્તેશ્વર ગંગા ઘાટ, દરગાહ શાહ વિલાયત જામા મસ્જિદ (અમરોહા) અને નૈમિષારણ્ય (સીતાપુર) અન્યનો સમાવેશ થાય છે.
  • 35.72 એમટીપીએ ના અપેક્ષિત વધારાના ફ્રેઇટ ટ્રાફિકમાં કોલસો, અનાજ, રાસાયણિક ખાતર, ફિનિશ્ડ સ્ટીલ વગેરેનો સમાવેશ થાય છે.
  • અંદાજિત ખર્ચ: રૂ. 14,926 કરોડ (આશરે)
  • રોજગાર નિર્માણ: 274 લાખ માનવ-દિવસો.
  • સીઓ2 ઉત્સર્જનની બચત: આશરે 128.77 કરોડ કિગ્રા સીઓ2 જે 5.15 કરોડ વૃક્ષો સમાન છે.
  • લોજિસ્ટિક ખર્ચમાં બચત: રોડ ટ્રાન્સપોર્ટની સરખામણીએ દર વર્ષે રૂ. 2,877.46 કરોડ.

ગાઝિયાબાદ – સીતાપુર 3જી અને 4થી લાઈન (403 કિમી)

 

PM India

PM India

રાજમહેન્દ્રી (નિદાદાવોલુ) – વિશાખાપટ્ટનમ (દુવ્વાડા) 3જી અને 4થી લાઈન (198 કિમી)

  • રાજમહેન્દ્રી (નિદાદાવોલુ) – વિશાખાપટ્ટનમ (દુવ્વાડા) સેક્શન હાવડા – ચેન્નાઈ હાઈ ડેન્સિટી નેટવર્ક (એચડીએન) નો ભાગ છે.
  • સૂચિત પ્રોજેક્ટ હાવડા – ચેન્નાઈ હાઈ ડેન્સિટી નેટવર્ક (એચડીએન) રૂટની ક્વોડ્રુપ્લિંગ (ચાર ગણી કરવાની) પહેલનો ભાગ છે.
  • આ પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, અનાકાપલ્લે અને વિશાખાપટ્ટનમ જિલ્લાઓમાંથી પસાર થાય છે.
  • એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામમાં વિશાખાપટ્ટનમને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે.
  • તે પૂર્વ કિનારે આવેલા વિશાખાપટ્ટનમ, ગંગાવરમ, મછલીપટ્ટનમ અને કાકીનાડા જેવા મુખ્ય બંદરોને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
  • પ્રોજેક્ટ રૂટ પૂર્વીય દરિયાકિનારે ચાલે છે અને તે ઈસ્ટ કોસ્ટ રેલ કોરિડોરના સૌથી વ્યસ્ત, મુખ્યત્વે ફ્રેઇટ-લક્ષી સેક્શનમાંનું એક છે.
  • આ સેક્શનની લાઇન ક્ષમતાનો ઉપયોગ પહેલેથી જ 130% સુધી પહોંચી ગયો છે, જેના કારણે વારંવાર ભીડ અને ઓપરેશનલ વિલંબ થાય છે. આ પ્રદેશમાં બંદરો અને ઉદ્યોગોના સૂચિત વિસ્તરણને કારણે લાઇન ક્ષમતામાં વધુ વધારો થવાની ધારણા છે.
  • પ્રોજેક્ટ સેક્શનમાં ગોદાવરી નદી પર 4.3 કિમીનો રેલ બ્રિજ, 2.67 કિમીનો વાયડક્ટ, 03 બાયપાસનો સમાવેશ થાય છે અને નવું એલાઈનમેન્ટ હાલના રૂટ કરતા આશરે 08 કિમી ટૂંકું છે, જે કનેક્ટિવિટી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
  • સૂચિત સેક્શન અન્નાવરમ, અંતરવેદી અને દ્રાક્ષારામમ વગેરે જેવા મુખ્ય સ્થળોની પહોંચ સુધારીને પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે.
  • 29.04 એમટીપીએ ના અપેક્ષિત વધારાના ફ્રેઇટ ટ્રાફિકમાં કોલસો, સિમેન્ટ, રાસાયણિક ખાતર, આયર્ન અને સ્ટીલ, અનાજ, કન્ટેનર, બોક્સાઈટ, જીપ્સમ, ચૂનાના પત્થર વગેરેનો સમાવેશ થાય છે.
  • અંદાજિત ખર્ચ: રૂ. 9,889 કરોડ (આશરે)
  • રોજગાર નિર્માણ: 135 લાખ માનવ-દિવસો.
  • સીઓ2 ઉત્સર્જનની બચત: આશરે 51.49 કરોડ કિગ્રા સીઓ2 જે 2.06 કરોડ વૃક્ષો સમાન છે.
  • લોજિસ્ટિક ખર્ચમાં બચત: રોડ ટ્રાન્સપોર્ટની સરખામણીએ દર વર્ષે રૂ. 1,150.56 કરોડ.

આર્થિક સશક્તિકરણ:

  • એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ – વિશાખાપટ્ટનમ જિલ્લાને સુધારેલી કનેક્ટિવિટી મળશે.
  • પ્રવાસન અને ઉદ્યોગો દ્વારા પ્રદેશમાં વધારાની આર્થિક તકો.
  • રેલ કનેક્ટિવિટી વધવાને કારણે નાગરિકો માટે બહેતર આરોગ્ય સંભાળ અને શિક્ષણ.

રાજમહેન્દ્રી (નિદાદાવોલુ) – વિશાખાપટ્ટનમ (દુવ્વાડા) 3જી અને 4થી લાઈન (198 કિમી)

 

PM India

PM India

રેલવે પર પ્રધાનમંત્રીનું ધ્યાન:

  • નાણાકીય વર્ષ 26-27 માટે 2,65,000 કરોડ રૂપિયાની રેકોર્ડ બજેટ ફાળવણી.
  • 1600 થી વધુ લોકોમોટિવ્સનું ઉત્પાદન- લોકોમોટિવ ઉત્પાદનના મેન્યુફેક્ચરિંગમાં યુએસ અને યુરોપને પાછળ છોડી દીધું છે.
  • નાણાકીય વર્ષ 26 માં, ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગોની હેરફેર કરીને વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ ફ્રેટ કેરિયર્સમાં સ્થાન મેળવે તેવી અપેક્ષા છે.
  • ભારત ઓસ્ટ્રેલિયામાં મેટ્રો કોચ અને યુનાઈટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં બોગીની નિકાસ શરૂ કરે છે.

SM/NP/JD