Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ ઘટના વિશે સાંભળીને વ્યથિત છે અને જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“તમિલનાડુના કોઈમ્બતૂરમાં થયેલી દુર્ઘટના વિશે સાંભળીને વ્યથિત છું. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું: PM @narendramodi”

SM/BS/JD