પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોના ફેઝ 2 ના ઉદ્ઘાટનની ઝલક શેર કરી હતી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતા શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોમાં દેખાય છે. આજે, સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના ફેઝ 2 ના બાકીના હિસ્સાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ (જીવનની સુગમતા) માં વધારો કરશે.”
SM/BS/GP/JD