Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાતચીત કરી હતી.

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત કતાર સાથે મજબૂતથી  ઊભું છે અને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના કોઈપણ ઉલ્લંઘનની સખત નિંદા કરે છે.

બંને નેતાઓએ સંવાદ અને રાજદ્વારી માધ્યમો દ્વારા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં કતારમાં ભારતીય સમુદાયને કતારના નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સતત સમર્થન અને સંભાળ બદલ પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“મારા ભાઈ, કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાત કરી. અમે કતાર સાથે મજબૂતથી ઊભા છીએ અને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના કોઈપણ ઉલ્લંઘનની સખત નિંદા કરીએ છીએ. અમે સંવાદ અને રાજદ્વારી માધ્યમો દ્વારા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની તાતી જરૂરિયાત ભાર મૂક્યા છે. મેં આ પડકારજનક સમયમાં કતારમાં ભારતીય સમુદાય માટે તેમના સતત સમર્થન અને સંભાળ બદલ પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.

@TamimBinHamad”

SM/JY/JD