Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

પ્રધાનમંત્રી @narendramodi દ્વારા દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફમાંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000ની સહાય આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com