Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘સદૈવ અટલ’ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ ‘સદૈવ અટલ’ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે અટલજીનું જીવન જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતું અને તેઓ હંમેશા દેશના લોકોને પ્રેરણા આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પર મને આજે દિલ્હીમાં તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો. જનસેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com