Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. બી.આર. આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બી.આર. આંબેડકરને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરનું અતુલનીય યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરનું જીવન અને આદર્શો નાગરિકોને ન્યાયી, સમાવેશી અને પ્રગતિશીલ સમાજ બનાવવા તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે.

પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે ડૉ. આંબેડકરનું વ્યક્તિત્વ અને કાર્યો રાષ્ટ્રના વિકાસ માટે હંમેશા માર્ગદર્શક બળ બની રહેશે.

શ્રી મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

अयं निजः परो वेति गणना लघुचेतसाम्

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર નિર્માણ તરફના તેમના પ્રયાસો ઊંડાણપૂર્વક પ્રેરણા આપનારા છે. તેમનું જીવન અને કાર્ય ન્યાયી અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”

“ડૉ. બાબાસાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ અને કૃતિત્વ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાપુંજ બની રહેશે.

अयं निजः परो वेति गणना लघुचेतसाम्

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥”

 

SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com