Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા અને શક્તિ, ન્યાય અને એકતા પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 30 ડિસેમ્બર, 1943ના ઐતિહાસિક અવસરને યાદ કરતાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી. આ દિવસે નેતાજીએ અદ્વિતીય સાહસ અને પરાક્રમ સાથે પોર્ટ બ્લેરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ઇતિહાસની આ ક્ષણ રાષ્ટ્રને યાદ અપાવે છે કે સ્વતંત્રતા ફક્ત ઇચ્છાશક્તિથી નહીં, પરંતુ શક્તિ, સખત મહેનત, ન્યાય અને સામૂહિક સંકલ્પથી પ્રાપ્ત થાય છે.

આ ભાવના વ્યક્ત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ X પરની એક પોસ્ટમાં એક શાશ્વત સુભાષિત શેર કર્યું:

“આજના જ દિવસે, 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરમાં હિંમત અને બહાદુરીથી ત્રિરંગો ફરકાવ્યો હતો. તે ક્ષણ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા ફક્ત આકાંક્ષાથી નહીં, પરંતુ શક્તિ, સખત મહેનત, ન્યાય અને સંગઠિત સંકલ્પથી ઘડાય છે. આજનું સુભાષિત આ ભાવના વ્યક્ત કરે છે…”

सामर्थ्यमूलं स्वातन्त्र्यं श्रममूलं वैभवम्

न्यायमूलं सुराज्यं स्यात् सङ्घमूलं महाबलम् ॥”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com