Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાજીને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ કહ્યું,  “તેમણે સામાજિક સુધારણા તેમજ ગુલામીના બંધનો તોડવા માટે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દેશમાં શિક્ષણ ક્ષેત્રે તેમનું અજોડ યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

” માતૃભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જન્મજયંતિ પર હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે ગુલામીની સાંકળો તોડવા માટે સામાજિક સુધારણાની સાથે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દેશના શિક્ષણ ક્ષેત્રમાં તેમનું અજોડ યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com