Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વસંત પંચમીના પવિત્ર અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વસંત પંચમીના પવિત્ર અવસર પર સૌને પોતાની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ પ્રકૃતિની સુંદરતા અને દિવ્યતાને સમર્પિત આ તહેવારની પવિત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે જ્ઞાન અને કલાના દેવી, મા સરસ્વતીના આશીર્વાદ દરેક પર બની રહે તે માટે પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, મા સરસ્વતીની કૃપાથી તમામ નાગરિકોનું જીવન શિક્ષણ, શાણપણ અને બુદ્ધિથી સદાય પ્રજ્વલિત રહે.

એક X પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“કુદરતની સુંદરતા અને દિવ્યતાને સમર્પિત પવિત્ર તહેવાર, વસંત પંચમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જ્ઞાન અને કલાની દેવી, દેવી સરસ્વતીના આશીર્વાદ દરેકને પ્રાપ્ત થાય. તેમની કૃપા હંમેશા દરેકના જીવનને જ્ઞાન, શાણપણ અને બુદ્ધિથી પ્રકાશિત કરે, આ જ મારી શુભકામના છે.”

SM/IJ/GP/JD