Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સામૂહિક પ્રવૃત્તિના આહ્વાન પર પ્રકાશ પાડતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના સામૂહિક પ્રવૃત્તિ અને જનભાગીદારીના આહ્વાન પર પ્રકાશ પાડતો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મંત્રીશ્રીએ પ્રકૃતિ-આધારિત ઉકેલો દ્વારા આ પડકારોનો સામનો કરવાની અપીલ કરી છે જે ટકાઉ, ખર્ચ-અસરકારક અને લાંબા ગાળાના પર્યાવરણીય લાભો આપવા માટે સક્ષમ હોય.

શ્રી મોદીએ અવલોકન કર્યું કે કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વધુ હરિયાળું દિલ્હી એ પર્યાવરણીય જવાબદારી સાથે વિકાસને સંતુલિત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“વિશ્વ પર્યાવરણ દિવસ પર, કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp એવા પ્રકૃતિ-આધારિત ઉકેલો દ્વારા પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે સામૂહિક પ્રવૃત્તિ અને જનભાગીદારીનું આહ્વાન કરે છે જે ટકાઉ, ખર્ચ-અસરકારક અને લાંબા ગાળાના પર્યાવરણીય લાભો આપવા માટે સક્ષમ હોય. તેઓ ભારપૂર્વક જણાવે છે કે વધુ હરિયાળું દિલ્હી એ પર્યાવરણીય જવાબદારી સાથે વિકાસને સંતુલિત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે.”

 


SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]