Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વલસાડ, ગુજરાતમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયેલી એક દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુઃખદ ઘટનામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ગુજરાતના વલસાડમાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi”

SM/JY/JD