Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારના કટિહારમાં થયેલા અકસ્માતમાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના કટિહારમાં થયેલા દુ:ખદ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી ₹2 લાખની સહાયની પણ જાહેરાત કરી; તેમણે એ પણ માહિતી આપી કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ₹50,000ની સહાય મળશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“બિહારના કટિહારમાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

PMNRF દરેક મૃતકના નજીકના સંબંધીઓને ₹2 લાખની સહાય આપશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.”

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com