પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડેના પ્રસંગે તમામ એન્જિનિયરોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા, ઇનોવેશન કરવા અને ઉકેલો શોધવા માટે તેમના નોંધપાત્ર યોગદાન બદલ એન્જિનિયરોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ સર એમ. વિશ્વેશ્વરૈયાને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જેમના અસાધારણ એન્જિનિયરિંગ કૌશલ્ય અને રાષ્ટ્ર-નિર્માણ માટેના દ્રષ્ટિકોણે એન્જિનિયરોની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
વધુ સારા ભવિષ્ય માટે નિર્માણ કરનારા, ઇનોવેશન કરનારા અને ઉકેલો પૂરા પાડનારા તમામ અસાધારણ એન્જિનિયરોને #EngineersDay ની શુભકામનાઓ.
સર એમ. વિશ્વેશ્વરૈયાને શ્રદ્ધાંજલિ, જેમની એન્જિનિયરિંગ ક્ષેત્રની પ્રતિભા અને રાષ્ટ્રનિર્માણની દૃષ્ટિ આજે પણ સૌને પ્રેરણા આપે છે.
Happy #EngineersDay to all remarkable engineers, the people who build, innovate and provide solutions for a better tomorrow.
Tributes to Sir M. Visvesvaraya, whose engineering genius and nation-building vision continue to inspire. pic.twitter.com/uIoBwrWPQT
— Narendra Modi (@narendramodi) September 15, 2026
SM/BS/JD
Happy #EngineersDay to all remarkable engineers, the people who build, innovate and provide solutions for a better tomorrow.
— Narendra Modi (@narendramodi) September 15, 2026
Tributes to Sir M. Visvesvaraya, whose engineering genius and nation-building vision continue to inspire. pic.twitter.com/uIoBwrWPQT