Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નિશ્ચય, ધૈર્ય અને આત્મવિશ્વાસના મૂલ્યો પ્રકાશિત કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયાએ સાબિત કર્યું છે કે જીવનમાં સફળતા માટે દૃઢ નિશ્ચય, ધૈર્ય અને આત્મવિશ્વાસનો સંગમ જરૂરી છે. તેમણે કહ્યું કે આ વિજય એ પણ દર્શાવે છે કે યોગ્ય દિશામાં સખત મહેનત કરીને દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

“अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया। यत्नमातिष्ठ धैर्येण ततः सिद्धिर्भवेद् ध्रुवम्।।”

સુભાષિત કહે છે કે જે કોઈ પણ જીવનમાં પ્રગતિ કરવા માંગે છે તેણે સમર્પણ અને દૃઢ નિશ્ચય સાથે પ્રયત્ન કરવો જોઈએ. સતત મહેનત, ધીરજ સાથે જોડાયેલી, ચોક્કસપણે સફળતાનો માર્ગ મોકળો કરશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને, ટીમ ઈન્ડિયાએ સાબિત કર્યું છે કે નિશ્ચય, દ્રઢતા અને આત્મવિશ્વાસનો સંગમ જીવનમાં સફળતાની ચાવી છે. આ જીત આપણને એ પણ બતાવે છે કે યોગ્ય દિશામાં સખત મહેનત કરીને, દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.”

अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया।

यत्नमातिष्ठ धैर्येण ततः सिद्धिर्भवेद् ध्रुवम् ।।

SM/DK/GP/JT