Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “સબકા સાથ સબકા વિકાસ – લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી” વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “સબકા સાથ સબકા વિકાસ – લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી” વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બજેટ પછીની વેબિનાર શ્રેણીના ચોથા વેબિનારને સંબોધિત કર્યું, જેનો વિષય હતોસબકા સાથ સબકા વિકાસલોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી.” શિક્ષણ, કૌશલ્ય, આરોગ્ય, પર્યટન, રમતગમત અને સંસ્કૃતિ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મુખ્ય સાધન છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણ પર ચર્ચા કરવા માટે નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ ભાર મૂક્યો, “લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી ફક્ત એક વિષય નથી; તે બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય અને સરકારનો સંકલ્પ છે.”

નિવારક અને સર્વાંગી સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ આરોગ્ય માળખાના ઝડપી મજબૂતીકરણ અને યોગ અને આયુર્વેદની વૈશ્વિક લોકપ્રિયતાની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સેંકડો જિલ્લાઓમાં મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે; અને આયુષ્માન ભારત યોજના અને આરોગ્ય મંદિરો દ્વારા આરોગ્યસંભાળ સેવાઓની પહોંચનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શ્રી મોદીએ ખાસ કરીને ઉભરતીકેર ઇકોનોમીઅને વિશ્વભરમાં સંભાળ રાખનારાઓની વધતી માંગ પર પ્રકાશ પાડ્યો અને યુવાનોને સશક્ત બનાવવા માટે નવા તાલીમ મોડેલો વિકસાવવા નિષ્ણાતોને આગ્રહ કર્યો. શ્રી મોદીએ કહ્યું, “હું વેબિનારમાં હાજર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને અપીલ કરવા માંગુ છું કે તેઓ દેશમાં તાલીમ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે નવા તાલીમ મોડેલો અને ભાગીદારી સૂચવે.”

હેલ્થકેરમાં ડિજિટલ પરિવર્તન અંગે, પ્રધાનમંત્રીએ દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચવામાં ટેલિમેડિસિન સફળતા વિશે વાત કરી. તેના વિકાસને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ યૂઝર એક્સપીરિયન્સને સરળ બનાવવા અને વધુ જનજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કહ્યું, “મારું માનવું છે કે ટેલિમેડિસિન વિશે જાગૃતિ વધારવાની અને તેનો ઉપયોગ સરળ બનાવવાની હજુ પણ જરૂર છે.”

પ્રધાનમંત્રીએ ભારતના યુવાનોની બદલાતી માનસિકતાને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભાવના સાથે સુસંગત શિક્ષણ પ્રણાલી માટે હાકલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે દેશમાં શિક્ષણને રોજગાર અને વ્યવસાય સાથે જોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે નવી શિક્ષણ નીતિ એવા અભ્યાસક્રમનો પાયો નાખે છે જે બજારની માંગ અને વાસ્તવિક દુનિયાના અર્થતંત્ર સાથે સુસંગત હોવો જોઈએ, ખાસ કરીને AI, ઓટોમેશન અને ડિજિટલ અર્થતંત્ર જેવા ક્ષેત્રોમાં. શ્રી મોદીએ કહ્યું, “આપણે આપણી શિક્ષણ પ્રણાલીને વાસ્તવિક દુનિયાના અર્થતંત્ર સાથે સંકલિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ.”

શિક્ષણ, રોજગાર અને વ્યવસાય વચ્ચેના સંબંધની ચર્ચા કરતા, પ્રધાનમંત્રીએ A.V.G.C. (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભારત નવીનતાસંચાલિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે એમ જણાવીને, પ્રધાનમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયામાં જરૂરી સંપર્ક પૂરો પાડવા માટે તેમના કેમ્પસને ઉદ્યોગ સહયોગ અને સંશોધનસંચાલિત શિક્ષણના કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની વાત પર જોર આપ્યું. શ્રી મોદીએ કહ્યું, “હું તમને આગ્રહ કરવા માગીશ કે વેબિનારમાં, તમારા કેમ્પસને ઉદ્યોગ સહયોગ અને સંશોધનઆધારિત શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવા પર ચર્ચા થવી જોઈએ.”

પ્રધાનમંત્રીએ STEM ક્ષેત્રોમાં મહિલાઓની વધતી સંખ્યા પર ગર્વ વ્યક્ત કર્યો અને ભવિષ્યની ટેકનોલોજીમાં છોકરીઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક મજબૂત સંશોધન ઇકોસિસ્ટમ માટે હાકલ કરતા જે યુવા સંશોધકોને કોઈપણ અવરોધ વિના નવીનતા અને પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે, શ્રી મોદીએ ભાર મૂક્યો, “આપણે એક સંશોધન ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ જ્યાં યુવા સંશોધકોને પ્રયોગ કરવા અને નવા વિચારો પર કામ કરવાની પૂરતી તક મળે.”

રમતગમત વિશે પર bhar મૂકતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વસ્થ અને શિસ્તબદ્ધ યુવા વસ્તી દેશની શક્તિનો આધાર છે. તેમણેખેલો ઇન્ડિયાના પ્રભાવ પર જોર આપ્યું અને નાના શહેરો અને પ્રદેશોમાંથી પણ પ્રતિભાઓને ઓળખવા, રમતગમત સંસ્થાઓને વ્યાવસાયિક બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક બિડ જેવી આગામી ઇવેન્ટ્સ માટે તૈયારી કરવા માટે રમતવીરોને નાણાકીય સહાય સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કહ્યું, “આવી સ્થિતિમાં, આપણે આજે યુવા ખેલાડીઓને ઓળખવા અને તેમનું પોષણ કરવું પડશે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનો ધ્વજ ઊંચો લહેરાશે.”

રોજગાર ઉત્પન્ન કરવા માટે પર્યટન અને સંસ્કૃતિની સંભાવના પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે પરંપરાગત સ્થળો ઉપરાંત નવા સ્થળો વિકસાવવાથી શહેરનું બ્રાન્ડિંગ અને એકંદર વિકાસને પ્રોત્સાહન મળે છે. શ્રી મોદીએ હિસ્સેદારોને કુશળતા, જોડાણ અને સમુદાય ભાગીદારીને સમાવિષ્ટ કરીને એક સર્વાંગી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, “અમે હવે દેશમાં પ્રવાસન સ્થળોના પુનઃવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

પ્રધાનમંત્રીએ કહ્યું, “ટ્રેન્ડ ગાઇડ્સ, આતિથ્ય કૌશલ્ય, ડિજિટલ કનેક્ટિવિટી અને સમુદાય ભાગીદારી આપણા પ્રવાસન ક્ષેત્રના આધારસ્તંભ બની રહ્યા છે. સાથે, સ્વચ્છતા અને ટકાઉ પ્રથાઓ પણ આવશ્યક છે. પ્રવાસન અને સંબંધિત ક્ષેત્રો પર તમારા સૂચનો મહત્વપૂર્ણ રહેશે કારણ કે આપણે ભારતને વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.”

પ્રધાનમંત્રીએ તેમનું સંબોધન સમાપન કરતા દેશની પ્રગતિને વેગ આપવા માટે સંસ્થાઓ, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચર્ચાઓ ભવિષ્ય માટે એક મજબૂત રોડમેપ પ્રદાન કરશે અને વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ અંતે કહ્યું, “આવા પ્રયાસોથી એક વિકસિત ભારતનો પાયો વધુ મજબૂત બનશે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com