Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત રત્ન શ્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા શ્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાજના દલિત, વંચિત અને નબળા વર્ગોનું ઉત્થાન હંમેશા કર્પૂરી ઠાકુરના રાજકારણના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે કહ્યું કે લોકોના નેતા કર્પૂરી ઠાકુરને હંમેશા તેમની સાદગી અને જાહેર સેવા પ્રત્યેના જીવનભરના સમર્પણ માટે યાદ કરવામાં આવશે અને તેમનું અનુકરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;

“બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત રત્ન, જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. સમાજના શોષિત, વંચિત અને નબળા વર્ગોનું ઉત્થાન હંમેશા તેમના રાજકારણના કેન્દ્રમાં રહ્યું છે. તેમને હંમેશા પોતાની સાદગી અને જાહેર સેવા પ્રત્યેના સમર્પણ માટે સદૈવ સ્મરણીય તેમજ અનુકરણીય રહેશે.”

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com