Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને અનેક સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વ બંધુ સેનજીના નિધનથી દુઃખ થયું. ત્રિપુરાની પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને અનેક સામાજિક કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com