Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 26મી ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12:15 વાગ્યાની આસપાસ, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનમેદનીને સંબોધિત પણ કરશે.

વીર બાલ દિવસની ઉજવણી કરવા માટે, ભારત સરકાર સાહિબજાદાઓના અસાધારણ સાહસ અને સર્વોચ્ચ બલિદાન વિશે નાગરિકોને માહિતગાર કરવા અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે અને ભારતના ઇતિહાસના યુવા નાયકોના અદમ્ય સાહસ, બલિદાન અને શૌર્યનું સન્માન કરવા અને તેમની સ્મૃતિમાં દેશભરમાં સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ પ્રવૃત્તિઓમાં વાર્તા કહેવાના સત્રો, પઠન, પોસ્ટર બનાવવાની અને નિબંધ લેખન સ્પર્ધાઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ કાર્યક્રમો શાળાઓ, ચાઈલ્ડ કેર સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય શૈક્ષણિક પ્લેટફોર્મ્સ તેમજ MyGov અને MyBharat પોર્ટલ પર ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

9મી જાન્યુઆરી 2022 ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના અવસરે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહાદતની યાદમાં 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે, જેમનું અજોડ બલિદાન પેઢીઓને પ્રેરણા આપતું રહ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) ના વિજેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

SM/NP/GP/JD