પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીને તેમની જન્મશતાબ્દીના ખાસ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીએ પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું, સમાજ પર અમીટ અસર છોડી હતી.
તેમણે ભાર મૂક્યો કે પૂજ્ય સ્વામીજીએ અસંખ્ય સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રોની સ્થાપના કરી હતી અને લોકોમાં શિક્ષણ ફેલાવવા માટે સંપૂર્ણપણે સમર્પિત હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“તેમની જન્મશતાબ્દીના ખાસ પ્રસંગે, હું વારાણસીના શ્રી કાશી મઠ સંસ્થાનના શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે પોતાનું આખું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું હતું. તેમણે અસંખ્ય સંસ્થાઓ અને સંશોધન કેન્દ્રોની સ્થાપના કરી અને લોકોમાં શિક્ષણ ફેલાવવા માટે ઉત્સાહી હતા. તેમના ઉપદેશો સરળતા, દયા અને સદ્ગુણ પર ભાર મૂકે છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી ભૂમિ પર વિકસિત મૂલ્ય પ્રણાલીઓને જાળવવા અને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો પણ એટલા જ પ્રશંસનીય છે.”
On the special occasion of his birth centenary, paying homage to Srimad Sudhindra Tirtha Swamiji of the Shri Kashi Math Samsthan, Varanasi. He devoted his life towards service and spirituality. He set up numerous institutions, research centres and was passionate about spreading…
— Narendra Modi (@narendramodi) March 31, 2026
SM/IJ/GP/JT
On the special occasion of his birth centenary, paying homage to Srimad Sudhindra Tirtha Swamiji of the Shri Kashi Math Samsthan, Varanasi. He devoted his life towards service and spirituality. He set up numerous institutions, research centres and was passionate about spreading…
— Narendra Modi (@narendramodi) March 31, 2026