Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ માનવતા પ્રત્યે કરુણા, નમ્રતા અને નિઃસ્વાર્થ સેવાના સાક્ષાત પ્રતીક સ્વરૂપે આપણી સામૂહિક સ્મૃતિમાં જીવે છે. બીજાઓના ઉત્થાન માટે સમર્પિત તેમના સમગ્ર જીવન દરમિયાન, તેમણે દર્શાવ્યું કે સાચી મહાનતા બીજાઓની સેવા કરવામાં રહેલી છે. શ્રી મોદીએ નોંધ્યું કે શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાને સમાજ પર અમીટ છાપ છોડી છે. આજે પણ તેમનું જીવન અસંખ્ય લોકોને નિઃસ્વાર્થતા અને સેવાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટ શેર કરી;

તેમની જન્મજયંતિ નિમિત્તે પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગલુને નમ્ર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સામૂહિક સ્મૃતિમાં તેમને માનવતા પ્રત્યે કરુણા, નમ્રતા અને નિઃસ્વાર્થ સેવાના સાક્ષાત પ્રતીક સ્વરૂપે પૂજનીય છે. બીજાઓના ઉત્થાન માટે સમર્પિત તેમના સમગ્ર જીવન દરમિયાન, તેમણે દર્શાવ્યું કે સાચી મહાનતા બીજાઓની સેવા કરવામાં રહેલી છે. શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાને સમાજ પર અમીટ છાપ છોડી છે. આજે પણ તેમનું જીવન અસંખ્ય લોકોને નિઃસ્વાર્થતા અને સેવાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડે છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com