Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 134માં એપિસોડના તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 134મા એપિસોડના તેમના સંબોધનની મુખ્ય હાઇલાઇટ્સ શેર કરી છે.

X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું;

ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર સાથેની વાતચીત ખૂબ જ ખાસ રહી, જે ભારતીય એથ્લેટિક્સનું ભવિષ્ય કેમ ખૂબ જ ઉજ્જવળ છે તેની ઝલક આપે છે!

#MannKiBaat”

ભારતની કેરીઓ અને કેરીઓની વિવિધતા ચોક્કસપણે એક ખાસ ઉલ્લેખને પાત્ર છે! તમારી મનપસંદ કઈ છે?

#MannKiBaat”

ઉનાળાની ગરમીને મ્હાત આપવાનો એક ઉત્તમ ઉપાય સ્વિમિંગ છે. #MannKiBaat દરમિયાન, કેરળમના સાજીજીના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, જેઓ ભવિષ્યના તરવૈયાઓને તાલીમ આપી રહ્યા છે!

#MannKiBaat”

સમગ્ર ભારતમાં, અસંખ્ય ક્લબ અને સોસાયટીઓ છે જે યુવાનોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવી રહી છે. મને આવા દરેક પ્રયાસ પર ગર્વ છે.

#MannKiBaat”

ઉત્તર પ્રદેશમાં એક ડોલ્ફિન રેસ્ક્યૂ એમ્બ્યુલન્સ પ્રશંસનીય કામ કરી રહી છે અને જેમના સથવારે આપણે આપણો ગ્રહ શેર કરીએ છીએ તેમની સંભાળ રાખવાનો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહી છે.

#MannKiBaat”

ઉત્તર પ્રદેશના આકાશ ગુપ્તાજી અને ગોવાના બાલકૃષ્ણ ઐયાજી જેવા લોકો જળ સંરક્ષણમાં મોખરે છે, અને આ રીતે ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) નો એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યા છે.

#MannKiBaat”

તમિલનાડુના ગિરિજા અમ્મા સાથેની મારી મુલાકાતને યાદ કરી અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના અતુલનીય જુસ્સા પર પ્રકાશ પાડ્યો. શિક્ષણ ક્ષેત્રે તેમના કામ માટે જયગોપાલ ગારોડિયા હિન્દુ વિદ્યાલય શાળાઓની પણ પ્રશંસા કરી.

#MannKiBaat”

નેધરલેન્ડ્સની મારી મુલાકાત પછી, ભારત પરત લવાયેલી ચોળ તામ્રપત્ર વિશે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેથી, #MannKiBaat દરમિયાન તે વિશે વાત કરી અને છત્તીસગઢમાં ત્રણ દુર્લભ તામ્રપત્રોની તાજેતરની શોધ પર પણ પ્રકાશ પાડ્યો.”

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com