પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડી. જ્ઞાનસુંદરમના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે થિરુ ડી. જ્ઞાનસુંદરમજીનું તમિલ સંસ્કૃતિ અને સાહિત્યમાં યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના લખાણો અને આજીવન સમર્પણ દ્વારા, તેમણે સમાજની સાંસ્કૃતિક ચેતનાને સમૃદ્ધ બનાવી, અને તેમનું કાર્ય વાચકો અને વિદ્વાનોની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.
પ્રધાનમંત્રીએ જાન્યુઆરી 2024માં શ્રી રંગનાથસ્વામી મંદિરની તેમની મુલાકાત દરમિયાન તેમની સાથેની વાતચીતને પણ યાદ કરી હતી, અને નોંધ્યું હતું કે કંબ રામાયણમ (Kamba Ramayanam) વિશે તેમની સમજ અસાધારણ હતી.
પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી અને દિવંગત આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“થિરુ ડી. જ્ઞાનસુંદરમજીના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. તમિલ સંસ્કૃતિ અને સાહિત્યમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના લખાણો અને આજીવન સમર્પણ દ્વારા, તેમણે સમાજની સાંસ્કૃતિક ચેતનાને સમૃદ્ધ બનાવી. તેમનું કાર્ય વાચકો અને વિદ્વાનોની પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.
મને જાન્યુઆરી 2024માં તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિરની મારી મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલી વાતચીત યાદ છે. કંબ રામાયણમ વિશે તેમની સમજ અસાધારણ હતી.
તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Deeply pained by the passing of Thiru D. Gnanasundaram Ji. His contribution to Tamil culture and literature will always be remembered. Through his writings and lifelong dedication, he enriched the cultural consciousness of society. His works will continue to inspire generations… pic.twitter.com/VzITJnssGM
— Narendra Modi (@narendramodi) January 26, 2026
திரு டி. ஞானசுந்தரம் அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது. தமிழ்க் கலாச்சாரத்திற்கும் இலக்கியத்திற்கும் அவரின் பங்களிப்பு என்றென்றும் நினைவுகூரப்படும். தனது எழுத்துக்கள் மூலம் வாழ்நாளை அர்ப்பணித்து சமூகத்தின் கலாச்சார உணர்வை அவர் வளப்படுத்தினார். அவரது படைப்புகள்… pic.twitter.com/DTgVIOZV4D
— Narendra Modi (@narendramodi) January 26, 2026
SM/IJ/GP/JD
Deeply pained by the passing of Thiru D. Gnanasundaram Ji. His contribution to Tamil culture and literature will always be remembered. Through his writings and lifelong dedication, he enriched the cultural consciousness of society. His works will continue to inspire generations… pic.twitter.com/VzITJnssGM
— Narendra Modi (@narendramodi) January 26, 2026
திரு டி. ஞானசுந்தரம் அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது. தமிழ்க் கலாச்சாரத்திற்கும் இலக்கியத்திற்கும் அவரின் பங்களிப்பு என்றென்றும் நினைவுகூரப்படும். தனது எழுத்துக்கள் மூலம் வாழ்நாளை அர்ப்பணித்து சமூகத்தின் கலாச்சார உணர்வை அவர் வளப்படுத்தினார். அவரது படைப்புகள்… pic.twitter.com/DTgVIOZV4D
— Narendra Modi (@narendramodi) January 26, 2026