Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનની ઝલક શેર કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન મહાવીર જયંતીના પવિત્ર અવસરે ગુજરાતના ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે જૈન હેરિટેજ મ્યુઝિયમ, સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટનની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, “કોબા તીર્થ આધ્યાત્મિક શાંતિથી સંપૂર્ણ ભરેલું છે, એક એવી જગ્યા જ્યાં કેટલાય જૈન મુનિઓ અને સંતોની તપસ્યાને અભિવ્યક્તિ મળે છે અને જ્યાં સર્જન અને સેવા સ્વાભાવિક રીતે ખીલે છે.”

X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

સત્તાને સેવા અને સાધના માનીને કાર્ય કરવાની જે પ્રેરણા આપણને આપણા ઈતિહાસમાંથી મળે છે, તે અમૂલ્ય વારસાને ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સાચવીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.”

 

આજે જ્યારે આખું વિશ્વ અસ્થિરતા અને અશાંતિની આગમાં સળગી રહ્યું છે, આવા સમયે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનો સંદેશ માત્ર ભારત માટે નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.”

તાડપત્ર અને ભોજપત્ર પર અંકિત સેંકડો વર્ષ જૂનું દુર્લભ જ્ઞાન કોબા તીર્થમાં સંરક્ષિત અને સંકલિત કરવામાં આવ્યું છે. પ્રયાસ માત્ર આપણા ભૂતકાળ અને વર્તમાનને જોડનારો નથી, પરંતુ આપણા ભવિષ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.”

નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં મેં નવ સંકલ્પોની વાત કરી હતી. આજે તેમાં દસમો સંકલ્પ પણ તમે સૌએ જોડી દીધો છે…”

SM/BS/JD