પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પશ્ચિમ એશિયાના ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવા અને લેવામાં આવનારી વધુ પહેલો અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS) ની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મુદ્દે આ બીજી વિશેષ CCS બેઠક હતી.
કેબિનેટ સચિવે પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને LNG/LPG ના પુરવઠા અને પૂરતી વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતગાર કર્યા હતા. વિવિધ દેશોમાંથી નવા પ્રવાહ સાથે LPG મેળવવા માટે સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) પણ વિવિધ દેશોમાંથી મેળવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સ્થાનિક ગ્રાહકો માટે LPGના ભાવ સમાન રહ્યા છે અને LPGની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે એન્ટી–ડાયવર્ઝન અમલીકરણ નિયમિતપણે હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનના વિસ્તરણ માટે પણ પહેલ કરવામાં આવી છે. 7-8 GWની ક્ષમતા ધરાવતા ગેસ–આધારિત પાવર પ્લાન્ટ્સને ગેસ પૂલિંગ મિકેનિઝમમાંથી મુક્તિ આપવી અને પીક સમર (ઉનાળાના મુખ્ય મહિનાઓ) દરમિયાન વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે થર્મલ પાવર સ્ટેશનો પર વધુ કોલસો પહોંચાડવા માટે રેકની સંખ્યા વધારવા જેવા પગલાં પણ લેવામાં આવ્યા છે.
વધુમાં, કૃષિ, નાગરિક ઉડ્ડયન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ અન્ય ક્ષેત્રોમાં ઉભરતા પડકારો માટે લેવામાં આવનારી પ્રસ્તાવિત દરમિયાનગીરીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
જરૂરિયાતને પહોંચી વળવા યુરિયા ઉત્પાદન જાળવી રાખવા, DAP/NPKS સપ્લાયર્સ માટે વિદેશી સપ્લાય સાથે સંકલન સાધવા જેવા વિવિધ પ્રયાસો ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારોને દૈનિક દેખરેખ, દરોડા અને કડક કાર્યવાહી દ્વારા ખાતરના કાળાબજાર, સંગ્રહખોરી અને ડાયવર્ઝનને રોકવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના છૂટક ભાવ સ્થિર રહ્યા છે. કિંમતો અને આવશ્યક ચીજવસ્તુ ધારાના અમલીકરણ અંગે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત દેખરેખ અને સંપર્ક માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદનો, શાકભાજી અને ફળોના ભાવ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ઊર્જા, ખાતર અને અન્ય સપ્લાય ચેઈન માટે આપણા સ્ત્રોતોને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર બનાવવાના પ્રયાસો અને હોર્મુઝ સ્ટ્રેટ (strait of Hormuz) દ્વારા જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા માટેની આંતરરાષ્ટ્રીય પહેલ અને ચાલુ રાજદ્વારી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
વિકસતી કટોકટી વચ્ચે અસરકારક માહિતી પ્રસારણ અને જાહેર જાગૃતિ લાવવા માટે કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ઉન્નત સંકલન, રીઅલ–ટાઇમ સંચાર અને સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ સામાન્ય માણસ માટેની પાયાની જરૂરિયાતોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ખરીફ તથા રવી સીઝનમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે નાગરિકોને આ સંઘર્ષની અસરથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ ખોટી માહિતી અને અફવા ફેલાતી રોકવા માટે જનતા સુધી અધિકૃત માહિતીના સરળ પ્રવાહ પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ તમામ સંબંધિત વિભાગોને ચાલુ વૈશ્વિક પરિસ્થિતિથી પ્રભાવિત નાગરિકો અને ક્ષેત્રોની સમસ્યાઓ દૂર કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Chaired a meeting of the Cabinet Committee on Security (CCS). Reviewed the steps being taken by various Ministries and Departments in the wake of the ongoing West Asia conflict and also discussed the next set of initiatives to be taken. Aspects relating to sectors like energy,… pic.twitter.com/vb0UluPbtu
— Narendra Modi (@narendramodi) April 1, 2026