Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીના પાલમમાં આગની દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પાલમમાં થયેલી દુ:ખદ આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે.

દિલ્હીના પાલમમાં થયેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. શ્રી મોદીએ વધુમાં જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“દિલ્હીના પાલમમાં બનેલી આગની ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી”

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com