Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ માંગ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ માંગ્યા અને તેમના સૌ ભક્તોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપવા પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેવી માતાની પૂજા દ્વારા, ભક્તોમાં એક અસાધારણ શક્તિનો પ્રવાહ વહે છે જે તેમને સફળતાના આત્મવિશ્વાસથી ભરી દે છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો-

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

મા સિદ્ધિદાત્રીને પ્રણામ! હું ઈચ્છું છું કે દેવી મા તેમના સૌ ભક્તોને ધ્યેય-સિદ્ધિનો આશીર્વાદ આપે.

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

 

દેવી માની સાધના ભક્તોમાં અદ્ભુત શક્તિનો સંચાર કરે છે. આ શક્તિ તેમને સફળતાના આત્મવિશ્વાસથી ભરી દે છે.”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com