પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજસ્થાનના અજમેરની મુલાકાત લેશે. સવારે 11:30 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી ₹16,680 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જાહેર જનમેદનીને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ શહેરી વિકાસ, પીવાના પાણીનો પુરવઠો, રસ્તાઓ, સિંચાઈ, ઊર્જા, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.
નિવારક સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવા અને મહિલાઓના કલ્યાણને આગળ વધારવા તરફના એક મોટા કદમમાં, પ્રધાનમંત્રી 14 વર્ષની વયની છોકરીઓ માટે હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીકરણ માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સરને રોકવાનો છે, જે મહિલાઓમાં કેન્સર એસંબંધિત માંદગીના મુખ્ય કારણોમાંનું એક છે અને તે દેશભરની છોકરીઓ અને મહિલાઓના લાંબા ગાળાના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, પ્રધાનમંત્રી બાંદીકુઈથી જયપુર સુધીના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, અમૃતસર–જામનગર ઇકોનોમિક કોરિડોરના પેકેજ 7 સેક્શનમાં 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીન હાઇવે અને દિલ્હી–વડોદરા એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના પેકેજ 14 સેક્શનમાં 8-લેન કેરેજવે સહિત અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ જોધપુર શહેરમાં 4-લેન એલિવેટેડ રોડ, બારાં જિલ્લામાં માલબમોરી–માંગરોળ–બારાં સ્ટેટ હાઇવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.
સૌ માટે સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી નોનેરા મેજર ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટના ચાર પેકેજ અને પરવન અકાવદ મેજર ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટના પાંચ પેકેજનો શિલાન્યાસ કરશે.
પુનઃપ્રાપ્ય ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને રાજસ્થાનમાં ઉત્પાદન હબમાંથી સીમલેસ ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરવા માટે, પ્રધાનમંત્રી રાજસ્થાનમાં રિન્યુએબલ એનર્જી ઝોન્સ (REZ) માંથી વીજળી નિકાસ કરવા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ પાંચ 220 KV ગ્રીડ સબસ્ટેશન અને બે 400 KV ગ્રીડ સબસ્ટેશન તેમજ તેની સાથે જોડાયેલી ટ્રાન્સમિશન લાઇનનો શિલાન્યાસ પણ કરશે.
રોજગાર નિર્માણ અને યુવા સશક્તિકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા, પ્રધાનમંત્રી રાજસ્થાનમાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા યુવાનોને 21,800 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
SM/DK/GP/JD