Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માટે પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારો પ્રધાનમંત્રીને મળ્યા


પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોના એક જૂથે આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી અને કેરળનું નામ બદલીને કેરલમ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોને મળીને ખૂબ જ ખુશ છે અને નોંધ્યું હતું કે આ વાતચીત અત્યંત સમજદારીભરી રહી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં હાઇલાઇટ કર્યું હતું કે, આ બેઠક સાહિત્યકારોની કેરલમ અને મલયાલમ પ્રત્યેની ઉત્સાહી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ x પર શેર કર્યું;

પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોના જૂથને મળીને ખૂબ જ આનંદ થયો જેઓ કેરળનું નામ બદલીને કેરલમ કરવા બદલ આભાર વ્યક્ત કરવા આવ્યા હતા.

વાતચીત અત્યંત સમજદારીભરી હતી અને તે કેરલમ અને મલયાલમ પ્રત્યેની તેમની ઉત્સાહી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી હતી.

SM/BS/JD